રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

  • રવિ ઉપાધ્યાય

    RKU for skylab 2
    રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
    જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
    મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
    થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
    આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
    સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
    phone:(91) 9321031220.
    (022) 28284271,(022) 28482425.
    E Mail : drupadhyayajr@yahoo.com

ભણેલાઓ ભૂલે ને…..

Posted by Dr Jagdip Upadhyaya on મે 31, 2007

ણેલા ભૂલે ને.....

ભણેલાઓ ભૂલે ને તારાઓ ડૂબે,
ત્યાં લેવો પડે કોઇ ગેબી સહારો.
પરિચિત પરાયાં બને ત્યારે લાગે,
કેવો હતો એ ગેબી સહારો….

મને મારાં હૈયાની તાકાત ખબર છે.
ખબર કેવું કોમળ ને કેવું સખત છે.
એ ખાશે ઉઝરડા ભલે કંટકોના ,
પરંતુ ચહેશે ગુલાબી સહારો…
ગગનની પિછોડી ટૂંકી થઇ કફનમાં,
ત્યાં શોધ્યો તમારા પ્રણયનો મેં પાલવ.
કિનારીથી ઢાંકો જો લજ્જા અમારી
તો માનીશ, મળ્યો કિનખાબી સહારો…
મને મારું કિસ્મત ભલે જાય દોરી,
ગમે ત્યાં, છતાં ના મને એની પરવા
ઘડીભર તમે આંગળી ઝાલી દોરો
તો માનીશ, મળ્યો છે નવાબી સહારો….
વિધાતાને પૂછું શું ભૂલી ગઇ તું ?
કે લખતાં ખૂટી શ્યાહી તારી કલમથી.
રહ્યો’તો ‘રવિ’ ઝંખતો મૃત્યુ સુધી,
જીવનભર ન પામ્યો એ ખ્વાબી સહારો….

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

2 Responses to “ભણેલાઓ ભૂલે ને…..”

  1. Suresh said

    પ્રીય જગદીપભાઇ,
    તેમની પ્રોફાઇલ વાંચો –
    http://sureshbjani.wordpress.com/2007/05/31/ravi_upadhayay/
    ખુટતી વીગતો આપશો તો આભારી થઇશ.

  2. neeta said

    jivan bhar n pamiyo a khvabi saharo

    ketlu dard che aa pankati ma
    gr8888888

Leave a reply to Suresh જવાબ રદ કરો