Posted by Dr Jagdip Upadhyaya on October 8, 2009
મનને આંગણ થાય અંધારૂ ત્યાં….
મનને આંગણ થાય અંધારૂ ત્યાં, દિવો શક્તિનો કરજે….
તિમિર હટે ને જ્યોતિ પ્રકાશે,.મૈયા દિવ્ય પ્રગટશે…. હો …..!
જય જય મા….., જગદંબા…
કોઇ ન તારું થાય આ જગમાં..,દિશ દિશથી ઠોકર વાગે…
શરણ ગ્રહી લે સપ્તશૃંગીનો….,પળમાં દુ:ખ સહુ ભાગે… હો…!
જય જય મા….., જગદંબા…
જ્ઞાનેશ્વર ‘ને નામદેવ, વળી રામદાસે આરાધેલી…
પ્રસન્ન થઇ માડીએ દીધી, આશિષ પ્રેમ – પ્રસાદી … હો …!
જય જય મા….., જગદંબા…
***********************************************************
કવિ : રવિ ઉપાધ્યાય
સંગીતકાર : દત્તા થીટે, ગાયિકા : અનુપમા દેશપાંડે.
મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “
પ્રસ્તુતકર્તા : મનોહર કદમ,
ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
This entry was posted on October 8, 2009 at 2:01 am and is filed under ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.