રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

  • રવિ ઉપાધ્યાય

    RKU for skylab 2.... રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો. જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં. મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ. થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગત છે. આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે. સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય. Telephones : ( 91 ) 9321031220, (022) 28284271, (022) 28482425. E Mail : drupadhyayajr@yahoo.com

હરિવર ક્યાં ગયો…….

Posted by Dr Jagdip Upadhyaya on February 10, 2008

slide1.jpg

ક્યાં ગયો….  ક્યાં ગયો …. ક્યાં ગયો…… !

મારું મનડું હરીને હરિવર ક્યાં ગયો ….

મારું ચીતડું ચોરી મુરલીધર ક્યાં ગયો ….

કહેને મા જમુના, શરદપુનમના, રમ્યો રાસરમણાં હમણાં અહીં શ્યામ

કે તારા જળથી ધોયું મેં કાજળ તે પળ વહ્યો તું માં ચપળ ઘનશ્યામ

તારો આડંબર જોઇને કાળો ભમ્મર

લાગે મને ડર, દૈ દે શ્યામસુંદર…..

મારું દિલડું દૂભાવી ગિરિધર ક્યાં ગયો …..   ક્યાં ગયો

કહેને કદંબ, હવે કરના વિલંબ, મુજને ના જંપ નંદજાયા વિના ….

સૂની રે વેણું, સૂની વ્રજ રેણું, સૂની છે ધેનું શામળીયા વિના ….

લૈને હું પ્રીતફૂલ, ઘૂમું સારું ગોકુળ

બની હું વ્યાકુળ કહે મારી શી ભૂલ…

મુજને નેહ લગાડી નટવર ક્યાં ગયો …….  ક્યાં ગયો  

કવિ : રવિ ઉપાધ્યાય, રવિ

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>